તેલંગાણાના મંત્રી કેટી રામારાવે બે ટ્રાફિક પોલીસ અધિકારીઓની પ્રશંસા કરી છે અને ખોટી દિશામાં જતા વાહન પર દંડ લાદવા બદલ તેમનું સન્માન કર્યું છે. મંત્રીએ તેમની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવતા અધિકારીઓની પ્રશંસા કરી છે. હકીકતમાં, સબ-ઇન્સ્પેક્ટર ઇલૈયા અને કોન્સ્ટેબલ વેંકટેશ્વરલુએ ટ્રાફિક નિયમોના ભંગ બદલ મંત્રીને દંડ ફટકાર્યો હતો.
When Hon’ ble Minister Sri KTR not only pays the traffic fine but also rewards the police officer for being upright, it inspires both the police and the public. This is #Leadership. pic.twitter.com/c2coo4toL9
— Anjani Kumar, IPS, Stay Home Stay Safe. (@CPHydCity) October 4, 2021
તદુપરાંત, હૈદરાબાદ પોલીસ કમિશનર અંજની કુમારે પણ ટ્રાફિક પોલીસકર્મીઓની કોઇપણ જાતના પક્ષપાત વગર નિષ્ઠાપૂર્વક તેમની ફરજો નિભાવવા બદલ પ્રશંસા કરી હતી. હકીકતમાં, ગાંધી જયંતિના દિવસે, તેલંગાણા ટ્રાફિક પોલીસના અધિકારીઓએ મંત્રી કેટી રામારાવનું વાહન રોકી અને ડ્રાઈવરને યોગ્ય દિશામાં જવાનો નિર્દેશ આપ્યો. જે બાદ તેલંગાણાના મંત્રી કેટી રામારાવે દંડ ચૂકવ્યો અને ટ્રાફિક દંડ ફટકારવા માટે અધિકારીઓની પ્રશંસા કરી. તેમણે અધિકારીઓની મુલાકાત લીધી અને તેમના કામની પ્રશંસા કરી.
રામારાવે કહ્યું કે, ટ્રાફિકના નિયમો દરેક માટે છે. પછી તે નાગરિક હોય કે જનપ્રતિનિધિ. તેમણે કહ્યું કે, સરકાર એવા અધિકારીઓની સાથે છે જે ઈમાનદારીથી કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, હું હંમેશા ટ્રાફિકના નિયમોનું પાલન કરું છું, જોકે, હું તે સમયે કારમાં ન હતો. આ ઘટના 2 ઓક્ટોબરે બાપુ ઘાટ પર બની હતી.