Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વન-ડે યોજાશે

નવી દિલ્હી, તા.૨૧
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ ૨૨ માર્ચ (બુધવાર) ના રોજ ચેન્નઈમાં રમાશે. ભારતીય ટીમે પ્રથમ મેચમાં પાંચ વિકેટથી શાનદાર જીત મેળવી હતી, પરંતુ બીજી મેચમાં ૧૦ વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં હવે ત્રીજી મેચ બંને ટીમો માટે નિર્ણાયક બની ગઈ છે અને વિજેતા ટીમ વનડે શ્રેણી પર કબ્જાે કરી લેશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે ૧.૩૦ વાગ્યાથી રમાશે. ત્રીજી વનડે મેચમાં ભારતીય ટીમના કોમ્બિનેશન પર પણ ચાહકોની નજર રહેશે. પ્રથમ બે મેચમાં ડાબોડી ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કની સામે ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર ખાસ કમાલ બતાવી શક્યો નથી તે ખૂબ જ ચિંતાનો વિષય છે. સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન ખૂબ જ શરમજનક હતું અને તે બંને મેચમાં પહેલા જ બોલ પર મિશેલ સ્ટાર્કની ઓવરમાં એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. આવી સ્થિતિમાં સૂર્યકુમારને ત્રીજી વનડેમાં તક મળે છે કે નહીં તે જાેવાનું રહેશે. જાેકે રોહિત શર્માએ સંકેત આપ્યા છે કે સૂર્યકુમારને વધુ તક આપવામાં આવશે. રોહિતે બીજી વનડે બાદ કહ્યું હતું કે, ‘અમને શ્રેયસ ઐય્યરની વાપસી વિશે ખબર નથી. શ્રેયસની જગ્યા ખાલી છે તેથી અમે સૂર્યાને જ મેદાનમાં ઉતારીશું. મેં ઘણી વખત કહ્યું છે કે જેની પાસે ક્ષમતા છે તેમને તક મળશે. સૂર્યા જાણે છે કે તેણે વનડેમાં પણ સારું પ્રદર્શન કરવું પડશે. સક્ષમ ખેલાડીઓએ ક્યારેય એવું ન અનુભવવું જાેઈએ કે તેમને પૂરતી તકો આપવામાં આવી નથી. છેલ્લી બે મેચમાં તે વહેલો આઉટ થયો હતો પરંતુ તેણે સતત સાત આઠ કે દસ મેચો આપવી પડશે જેથી તે વધુ આરામદાયક બને. ચેપોકની પીચ સામાન્ય રીતે ધીમી હોય છે. મેચના દિવસે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, જેનો અર્થ છે કે ઈનિંગની શરૂઆતમાં ઝડપી બોલરોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની જશે. છેલ્લી વખત જ્યારે ભારત અહીં રમ્યું હતું ત્યારે પીચ ઝડપી બોલરોને મદદ કરતી હતી. જાેકે વેસ્ટ ઈન્ડિઝની ટીમે તે મેચમાં માત્ર બે વિકેટ ગુમાવીને ૨૮૮ રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ વખતે પણ ફ્રેન્ડલી બોલિંગ પીચને કારણે ભારતીય બેટ્‌સમેનોએ પ્રથમ ૧૦ ઓવરમાં ખાસ કરીને સ્ટાર્ક સામે ખૂબ જ સાવધાનીથી રમવું પડશે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં આક્રમક વ્યૂહરચના અપનાવીને ત્રણ નિષ્ણાત ઝડપી બોલરો સાથે ઉતરી શકે છે. આવી સ્થિતિમાં શાર્દુલ ઠાકુર અથવા ઉમરાન મલિકને રમવાની તક મળી શકે છે. ઉમરાન મલિકને રમવાની વધુ તક મળી રહી છે કારણ કે તેની પાસે ઝડપ છે જે આ પીચ પર અસરકારક સાબિત થઈ શકે છે. ઉમરાન કે શાર્દુલ ઠાકુરને પ્લેઇંગ ઇલેવનમા સામેલ કરવામાં આવે તો અક્ષર પટેલને બહાર બેસવુ પડી શકે છે. આ સાથે ભારતીય ટીમ મેનેજમેન્ટ કુલદીપ યાદવના સ્થાને વોશિંગ્ટન સુંદરને પ્લેઈંગ-૧૧માં સામેલ કરી શકે છે.

Related posts

જોશ એપ દ્વારા અમદાવાદના આંગણે સૌના ટેલેન્ટને ઉજાગર કરે તેવી ક્રિએટર્સ મીટઅપ યોજવામા આવી હતી.

saveragujarat

સુરતમાં ૬ વર્ષના બાળકની લાશ પાણીની ટાંકીમાંથી મળી

saveragujarat

સમાજમાં વધી રહેલા કુસંસ્કારોનો કરુણ અંજામ :પત્નિના અનૈતિક સંબોધો બન્યાં પરિવારના વિનાશનું કારણ

saveragujarat

Leave a Comment