સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૧૧
“માનવ અધિકાર દિન ની સાપ્તાહિક ઉજવણી ના ભાગરૂપે માનવ અધિકાર ના કાજે પ્રયત્નશીલ રહેવા કરવામાં આવેલ સંકલ્પ”*
બીજા વિશ્વયુદ્ધ થી સમગ્ર વિશ્વ કપં કંપી ઉઠ્યો હતો યુદ્ધમાં માનવના જીવવાના અધિકારો અને બીજા અન્ય મૂળભૂત અધિકારોનો નાશ થાય છે તે માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુનો)ની રચના કરી ૧૦ મી ડિસેમ્બર ૧૯૪૮ ના રોજ સર્વ સંમતિ થી માનવ અધિકારોનું ઘોષણાપત્ર જાહેર કરેલ તે દિવસથી ૧૦ મી ડિસેમ્બરે “માનવ અધિકાર દિન”ની ઉજવણી સમગ્ર વિશ્વમાં થાય છે ત્યારે ૧૦ મી ડિસેમ્બર થી એક સપ્તાહ સુધી ઉજવણી કરવામાં આવશે
જેના ભાગરૂપે અમદાવાદના સીટીએમ ખાતે *માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ અને પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોર્જ ડાયસ ની આગેવાની હેઠળઉજવણી કરી હતી* ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર,વાણી સ્વતંત્રતાનો અધિકાર,મફત શિક્ષણનો અધિકાર,આરોગ્યનો અધિકાર, રોજગારીનો અધિકાર,ફિક્સ પગાર નાબુદી અધિકાર,રોટી કપડાં ઓર મકાન નો અઘિકાર, મહિલાઓના સન્માનનો અધિકાર, દલિત ઓબીસી આદિવાસી ના સન્માનનો અધિકાર માટે અંતિમ શ્વાસ સુધી પ્રયત્નશીલ લેવાનું સંકલ્પ કર્યો હતો તેમજ યુદ્ધ નહીશાંતિ જોઈએ અને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના યોજી હતી કાર્યક્રમમાં જ્યોર્જ ડાયસ રમેશભાઈ ભીલ ભરત શર્મા સંજય સામેત્રીયા સુનિલ કોરી રાજેશ આઉજા વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા*